Sunday, March 9, 2014
ગેસના બાટલા ગોળાકાર કેમ ?
રાંધણ ગેસ જેવા વાયુઓ તેમજ પેટ્રોલ જેવા જ્વલનશીલ પ્રવાહીઓની ટાંકી ગોળાકાર જ રાખવામાં આવે છે. રાંધણગેસના સિલિન્ડરમાં ગેસને સંકોચીને પ્રવાહી બનાવી ભરવામાં આવે છે. ૨૭૦ ઘન સેન્ટીમીટર વાયુને દબાણ આપીને માત્ર ૧ ઘન સેન્ટીમીટર પ્રવાહી સ્વરૃપ બને છે. અત્યંત ઉડ્ડયનશીલ પ્રવાહીમાંથી ગેસ વછૂટતો હોય છે. અને સીલીન્ડરની આંતરિક દિવાલ પર પ્રચંડ દબાણ કરતો હોય છે. એક ગણતરી પ્રમાણે બાટલાની દીવાલ પર એક સેન્ટીમીટરે ૮ કિલો જેટલું દબાણ થતું હોય છે. માટે ગેસના બાટલા મજબૂત હોય તે જરૃરી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment