Thursday, February 27, 2014

સંગીત અને ઘોંઘાટમાં શું ફેર ?

ઘોંઘાટ અણગમતો અવાજ છે. સંગીત પણ અવાજ છે પણ આપણને સાંભળવું ગમે છે. બંને અવાજોના તરંગો હોવા છતાંય આ તફાવત શા માટે તે જાણો છો ? અવાજ કોઈ પણ વસ્તુની ધ્રૂજારીમાંથી પેદા થયેલા કંપન કે મોજાં દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આ તરંગોને ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. ઘોંઘાટ અનિયમિત કંપનોથી પેદા થતો મોટો અવાજ છે જ્યારે સંગીત નિયમિત કંપનોમાંથી પેદા થાય છે. ધાતુનો ચિપિયો દીવાલ પર અથડાવો તો તેના પાંખિયા ધ્રૂજે અને અવાજ ઉત્પન્ન થાય પરંતુ તેને સંગીત કહેવાય નહીં સારંગી, સિતાર અને તંબૂરા જેવા વાદ્યોમાં લાકડાની પેટી કે ગોળાકાર તુમડા જોડેલા હોય છે. તેના તાર ધ્રૂજે ત્યારે અવાજ પેદા થાય છે પરંતુ તુમડાના કારણે આ અવાજની સાથે બીજો તરંગ પણ પેદા થાય સંગીતકારો તેને અધિસ્વર કહે છે આ અધિસ્વરને કારણે સંગીત પ્રિય લાગે છે અને અવાજ કર્ણમધુર બને છે. જુદા જુદા વાજિંત્રોને જુદા જુદા અધિસ્વર હોય છે. દરેક વાજિંત્રના વિશિષ્ટ ધ્વનિ હોય છે જે કર્ણમધુર લાગે છે.


No comments:

Post a Comment