હૃદય સતત ધબકતું રહી આખા શરીરમાં લોહી પહોંચાડે છે. શરીરમાંથી અશુધ્ધ થયેલું લોહી પાછું હૃદયમાં આવે છે.લોહીને શરીરમાં ફરતું રાખવા રક્તવાહિનીનું સુઆયોજિત તંત્ર છે. હૃદયમાંથી લોહીને બહાર નિકળવા ધમની હોય છે. ધમનીમાંથી અલગ અલગ ફાંટા પડી નાની નળીઓ બને છે.
આ રક્તવાહિનીની રચના અને કામ ગજબ છે. હૃદયના ધબકવાથી લોહીને ધક્કો લાગે અને લોહી નળીમાં આગળ વધે. રક્તવાહિનીમાં લોહી એક તરફ જ આગળ વધે તે માટે સુક્ષ્મ વાલ્વ હોય છે. પગમાંથી અશુધ્ધ લોહી ઉપરની તરફ ચડે પણ પાછું ઉતરે નહીં તેવા વાલ્વ હોય છે.
હૃદયમાંથી શુધ્ધ લોહી લઈ જનારી નળીને ધમની અને અશુધ્ધ લોહી હૃદય તરફ લાવનારી નળીને શિરા કહે છે. ચામડી નીચે દેખાતી લીલી નસો એ શિરાઓ છે. ધમની જાડી હોય છે તેમાં ફાંટા પડી સુક્ષ્મ રક્તવાહિની બને તેના છેડે શરીરના કોશો સાથે લોહીમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજનની લેવડદેવડ થાય છે. અને લોહી અશુધ્ધ થઈ શીરા દ્વારા હૃદય તરફ જાય છે.
આ રક્તવાહિનીની રચના અને કામ ગજબ છે. હૃદયના ધબકવાથી લોહીને ધક્કો લાગે અને લોહી નળીમાં આગળ વધે. રક્તવાહિનીમાં લોહી એક તરફ જ આગળ વધે તે માટે સુક્ષ્મ વાલ્વ હોય છે. પગમાંથી અશુધ્ધ લોહી ઉપરની તરફ ચડે પણ પાછું ઉતરે નહીં તેવા વાલ્વ હોય છે.
હૃદયમાંથી શુધ્ધ લોહી લઈ જનારી નળીને ધમની અને અશુધ્ધ લોહી હૃદય તરફ લાવનારી નળીને શિરા કહે છે. ચામડી નીચે દેખાતી લીલી નસો એ શિરાઓ છે. ધમની જાડી હોય છે તેમાં ફાંટા પડી સુક્ષ્મ રક્તવાહિની બને તેના છેડે શરીરના કોશો સાથે લોહીમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજનની લેવડદેવડ થાય છે. અને લોહી અશુધ્ધ થઈ શીરા દ્વારા હૃદય તરફ જાય છે.
No comments:
Post a Comment