Saturday, September 20, 2014

પૃથ્વીપરનું છઠ્ઠું જીવજગત : વાઇરસ


પૃથ્વી પરના વનસ્પતિ, સસ્તન પ્રાણીઓ, બેક્ટેરીયા, પક્ષીઓ વિગેરે સજીવ  સૃષ્ટિને જીવશાસ્ત્રીઓએ પાંચ વિભાગમાં વહેંચી છે. પરંતુ પ્રાણીઓમાં ભયંકર રોગો ફેલાવતા વાઇરસને છઠ્ઠું જીવજગત કહેવાય છે.
વાઇરસના ચેપથી શરદીથી માંડી એઇડ્સ જેવા રોગો થાય  છે. ડોક્ટરો તેને વાઇરસ ઇન્ફેક્શન કહે છે. જુદા જુદા રોગો કરનારા વાઇરસના પ્રકાર પણ જુદા જુદા હોય છે. વાઇરસ હમેશા બીજા સજીવના શરીરમાં જ જીવી શકે છે. ખુલ્લા વાતાવરણ, પાણી કે હવામાં જીવી શકતા નથી.
વાઇરસ પણ બેક્ટેરિયાની જેમ સૂક્ષ્મ જીવ છે. તે નજરે દેખાતાં નથી. તેને બાહ્ય દીવાલ અને કેન્દ્રમાં ડીએનએ એમ બે ભાગ હોય છે. વાઇરસની દીવાલ મજબૂત પ્રોટિનની બનેલી હોય છે. તેને મારી શકાતા નથી. વાઇરસ કશું ખાતા નથી પરંતુ બીજા વાઇરસને જન્મ આપી વંશવેલો ચાલુ રાખવા અન્ય સજીવના શરીરમાં રહે છે. પ્રાણી કે માણસના શરીરમાં દાખલ થયેલા વાઇરસ પોતાનું ડીએનએ તેના લોહીમાં ભેળવે છે. લોહીમાં વાઇરસ ભળે એટલે લોહીના કોશો પોતાનું મૂળ કામ છોડીને બીજો વાઇરસ પેદા કરે છે અને આમ પ્રાણી કે માણસને બીમાર પાડે છે.

No comments:

Post a Comment