પર્યાવરણની વાતોમાં તમે બાયોસ્ફીયર શબ્દ સાંભળ્યો હશે. બાયોસ્ફિયર એટલે પૃથ્વીપરનું જીવમંડળ. તેને જૈવિક ક્ષેત્ર પણ કહે છે. બાયોસ્ફિયરમાં શું શું હોય તે જાણો છો ? રશિયાના વ્લાદીમિર વનરાદાન્સ્કી નામના જીવશાસ્ત્રીએ આ શબ્દ બતાવ્યો હતો. તેને ઊંડુ વિજ્ઞાાન છે. પૃથ્વી પર સજીવ અને નિર્જીવ પદાર્થો વાતાવરણ સાથે તાલમેલ સાધીને એકબીજાનો ઉપયોગ કરે છે. કોઇપણ જીવ પોતાના પર્યાવરણ વિના જીવે નહીં. આપણે ઓક્સિજનવાળી હવામાં જ રહેવું પડે. માછલીઓને સમુદ્રના પાણીમાં જ રહેવું પડે.
પૃથ્વી પર પર્વતોની ઊંચાઇ સુધી જમીન પર જીવન વિકાસ પામી શકે છે. સમુદ્રના પાણીમાં છેક તળિયા સુધી જીવન વિકાસ પામે છે. પૃથ્વીના પેટાળમાં પણ કેટલીક ઊંડાઇ સુધી જીવજંતુઓ જીવે છે. જ્યાં જ્યાં જીવન હોય તે વિસ્તાર એટલે બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એ પર્યાવરણનું અગત્યનું અંગે છે. બધા જ જીવો એકબીજાનો આધાર લઇ ઉપોયગ કરી પર્યાવરણની રચનામાં હિસ્સો બને છે. આપણે પણ પર્યાવરણ અને જૈવમંડળનો હિસ્સો છીએ.
No comments:
Post a Comment