Thursday, February 27, 2014

ગ્રીનહાઉસ

પૃથ્વી પરના સજીવો અને વનસ્પતિના વિકાસ માટે હૂંફાળું વાતાવરણ જોઈએ. ઠંડા પ્રદેશોમાં હૂંફ જાળવી રાખવા કાચની દીવાલોવાળા મોટા ઓરડા બનાવી તેમાં પાક વાવવાની પધ્ધતિ અપનાવાય છે. કાચ દ્વારા સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે પરંતુ તેની ગરમી બહાર વહી જાય નહીં તેવો હેતુ હોય છે. આ કાચઘરને ગ્રીનહાઉસ કહે છે.
પૃથ્વીની આસપાસ  કેટલાક વાયુઓનું પડ પણ કાચ જેવું કામ કરે છે. કાર્બન ડાયોક્સાઈડ, ઓઝોન, મિથેન અને ક્લોરો ફ્લોરો કાર્બન જેવા વાયુઓ હવાથી હળવા હોવાના કારણે આકાશમાં ચોક્કસ ઊંચાઈએ રહી એક આવરણ બનાવે છે. આ આવરણ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી આવવા દે છે પરંતુ સૂર્ય પ્રકાશની ગરમીને બહાર જવા દેતું નથી. આ વાયુઓ ન હોય તો પૃથ્વી થીજી જાય. પૃથ્વી પર ગરમી રહે જ નહીં. આ અસરને ગ્રીન હાઉસ ઈફેક્ટ કહે છે.
એક બીજી વાત પણ છે. આ વાયુઓ વધી જાય તો શું થાય? પૃથ્વી ઉપર વધુ પડતી ગરમી એક્ઠી થઈ જાય અને નુકશાન થાય. આ બધા ગ્રીનહાઉસ ગેસ છે તેનું યોગ્ય પ્રમાણ જળવાય તો જ તેને લાભ મળે. પૃથ્વી પર ઉદ્યોગો અને વાહન વ્યવહારના ધૂમાડાથી આ વાયુઓને પ્રમાણ વધી રહ્યું છે એ પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે.

No comments:

Post a Comment